મિત્રો ઋતુ પ્રમાણે મળતા શાકભાજી અને ફળનો આનંદ માણવો જ જોઈએ. આવા ફળ અને શાકભાજીના સેવનથી અનેક પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થાય છે. તેવું જ એક શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતું શાક મેથીની ભાજી છે. મેથીની ભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં આ બજારમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. મેથીના પાન પરોઠા, શાક, પુરી અને દાળ વગેરેમાં સરળતાથી નાખીને ખાઈ શકાય છે.
મેથીના પાન શિયાળામાં ખાવાથી સ્વાદ વધારવાની સાથે તમારા સ્વાસ્થ્યની તંદુરસ્તી પણ જાળવી રાખે છે. મેથીના પાનમાં કેલ્શિયમ, આયર્ન,પ્રોટીન, વિટામિન કે અને ફોસ્ફરસ વગેરે ઉપલબ્ધ હોય છે. મેથીના પાન પાચનને મજબૂત કરે છે અને સરળતાથી પચી પણ જાય છે. આજે આપણે આ લેખના માધ્યમથી મેથીના પાન ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જાણીશું.1) વજન ઘટાડવામાં ફાયદાકારક:- મેથીના પાન શરીર ને અનેક પ્રકારના ફાયદા પ્રદાન કરે છે. મોટાભાગના લોકોને એ ફરિયાદ રહે છે કે શિયાળામાં વજન વધી જાય છે. એવામાં વજનને નિયંત્રિત રાખવા માટે ડાયટમાં મેથીના પાનને સામેલ કરો. મેથીના પાનમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે વધારે કેલેરી લેવાથી બચી જાવ છો.
2) બ્લડ શુગર નિયંત્રિત કરે:- ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટ નું વિશેષ રૂપે ધ્યાન રાખવું પડે છે. એવામાં અનેક વાર શિયાળો આવવા પર ડાયાબિટીસમાં લોકોને શુગર લેવલ વધી જાય છે. તેને નિયંત્રિત કરવા માટે મેથીને ડાયટમાં સામેલ કરવી જોઈએ. તેને ખાવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે અને તમને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરશે.3) ત્વચાની રાખે સંભાળ:- શિયાળામાં ત્વચા ફાટવાની સમસ્યા ખૂબ જ સામાન્ય હોય છે. મેથીના પાનમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ પ્રાપ્ત થાય છે જે ખીલ, ફોલ્લી, ડાઘ, ધબ્બાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનો ઉપયોગ કરવા માટે મેથીના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાના નિશાન દૂર કરવામાં મદદ મળશે.
4) પાચન તંત્ર મજબૂત બનાવે:- મેથીના પાનને નિયમિત ડાયટમાં સામેલ કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેને ખાવાથી કબજીયાત, અપચો, એસીડીટી અને બ્લોટીંગ વગેરેની સમસ્યા પણ દૂર થાય છે. મેથીના પાનના પરાઠા બનાવીને કે શાક બનાવીને વગેરે રીતે ખાઈ શકાય છે.5) શરદી કફ દૂર કરવામાં ફાયદાકારક:- મેથીના પાન શરીરની અનેક બીમારીઓની સારવાર સરળતાથી કરે છે. શિયાળામાં મેથીના પાનને ખાવાથી ઇન્ફેક્શન, શરદી અને કફ વગેરેને સરળતાથી દૂર કરે છે. મેથીના પાનમાં ઉપલબ્ધ એન્ટી બેકટેરિયલ ગુણ શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
મેથીના પાન શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે જો તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો ડોક્ટર થી પૂછીને જ તેનું સેવન કરવું સાથે જ મેથીના પાનને સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)