સોના કરતા કિંમતી છે આનું સેવન, વાયુ, હરસ અને કબજિયાત કરી દેશે કાયમી માટે દુર… દવા કરતા પણ 100% કારગર…

આપણી આસપાસ અનેક વનસ્પતિઓ આવેલી હોય છે. આ વનસ્પતિ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ આપણને તેના ગુણ વિશે માહિતી હોતી નથી. તેવી જ એક વનસ્પતિ એરંડીઓ છે જે ચોમાસાની ઋતુમાં થાય છે. તેના મૂળ, છાલ, પાંદડા, બિયા અને તેનું તેલ ખૂબ જ ઉપયોગી હોય છે. આ દરેક નો ઉપયોગ ઔષધી બનાવવા માટે કરાય છે. એરંડાના બે પ્રકાર હોય છે સફેદ અને લાલ. ઘરગથ્થુ ઉપચાર કરવા માટે આ અતિ ઉપયોગી વૃક્ષ છે જે આખા ભારતમાં ઉગે છે. 

સફેદ એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ છે. તથા વાયુ કોઢ, બદ, ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃધ્ધિનો નાશ કરે છે. જયારે લાલ એરંડો તૂરો, રસકાળે તીખો, લઘુ અને કડવો છે. તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિનો નાશ કરે છે.

બંનેનાં પાંદડા વાતપિત્તને વધારે છે અને મુત્રકૃચ્છનો નાશ કરે છે. એનાં બિયાંના ગોળા ,ભૂખ લગાડનાર, અતિ ગરમ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મળભેદક અને લઘુ છે. રાત્રે સુતી વખતે બે ચમચી એરંડિયુ પીવાથી મળ સાફ આવે છે. તેને ગરમ દૂધ અથવા હુંફાળા પાણીમાં મેળવીને પીવાથી લાભ થાય છે. પેટમાં વાયુ ભરાવવાને કારણે દુખાવો થાય ત્યારે  બે ચમચી એરંડિયાને ગરમ દૂધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

સાંધામાં સોજો આવી જાય અને તેને દૂર કરવા માટે એરંડાના પાન પર થોડું એરંડિયુ અથવા સરસવ તેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય છે. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રમાણે પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે. વાયુ વિકારથી થતા પેટના વિકાર, કમરના દુખાવામાં રાહત મળે છે. એરંડાના બિયાની પેશી 10 ગ્રામ વાટી તેમાં પા લીટર દૂધ તથા તેના કરતાં અડધુ પાણી તેમાં મેળવી પાણી બળી જાય અને દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ તેમાં સાકર મેળવીને સાંજે પીવું.વાગવાથી ઘામાંથી લોહી નીકળતું હોય તો એરંડિયું લગાડી પાટો બાંધવાથી ફાયદો થાય છે. હરસ બહાર નીકળ્યા હોય તો નિયમિત એરંડિયુ લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુખાવામાં પણ રાહત થાય છે. કબજિયાતની તકલીફ રહેતી હોવાને કારણે પણ હરસ થાય છે. જો કબજિયાત ની સમસ્યા દૂર કરવામાં આવે તો હરસને કારણે મળ ત્યાગ વખતે તકલીફ થશે નહિ.

એરંડા પાયોરિયાને દૂર કરે છે. એરંડિયામાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે. આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે એરંડિયાનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે. પગની એડીની ત્વચા ફાટે ત્યારે એરંડિયું લગાડવાથી લાભ થાય છે. એરંડિયુ લગાવતા પહેલા પગને ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ એરંડિયું લગાડવાથી તેની ખુબ સારી અસર જોવા મળે છે.સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટે ત્યારે તેના પર એરંડિયું લગાડી શકાય છે. દિવસમાં ત્રણ ચાર વખત લગાડવું અને જરૂરિયાત પ્રમાણે ત્રણ ચાર દિવસ સુધી પ્રયોગ કરી શકાય છે. સ્તનની નીપલ અંદરની તરફ હોય તો એરંડિયાથી માલિશ કરવાથી ફાયદો થશે .

એરંડાના તેલનો ઉપયોગ વાળ અને માથાના સંબંધિત અલગ-અલગ વિકારોમાં પણ કરી શકાય છે. લોકો વાળની સુંદરતા વધારવા માટે કેટલાય પૈસા ખર્ચ કરે છે અને તેથી પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે ઓછા ખર્ચમાં તમે સરળતાથી વાળની સુંદરતા મેળવી શકો છો તો વધુ પૈસા ખર્ચ કરવાની શું જરૂર છે?

જો થોડાંક સપ્તાહ સુધી એટલે કે લગભગ 4 થી 6 સપ્તાહ સુધી નિયમિત રીતે એરંડાના તેલનો ઉપયોગ કરવામાં આવે તો વાળ સુંદર અને ઘાટા થઇ શકે છે. નિયમિત રીતે વાળમાં એરંડાના તેલની માલિશ કરવાથી વાળ મજબૂત અને ઘાટા થઇ શકે છે.એરંડાનું તેલ પીળા રંગનું હોય છે. આ તેલ વાળ લાંબા કરવામાં અને નવા વાળ ઉગાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ માથામાં એરંડાનું તેલ નાંખો. આમ કરવાથી વાળના મૂળિયાને પોષણ મળે છે તેનાથી બ્લડ સર્કયુલેશન સારી રીતે થતું હોવાથી વાળના મૂળિયા મજબૂત બને છે તથા વાળ લાંબા અને ઘાટા થવા લાગશે. એક સામાન્ય વાત કરીએ તો પુરુષોને ટાલ ની સમસ્યાથી બચાવવામાં એરંડાનું તેલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે  છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

1 thought on “સોના કરતા કિંમતી છે આનું સેવન, વાયુ, હરસ અને કબજિયાત કરી દેશે કાયમી માટે દુર… દવા કરતા પણ 100% કારગર…”

Leave a Comment