દરરોજ આના સેવનથી 50 ની ઉંમર પણ દેખાશો 25 ના, આજીવન નહિ થાય લોહીની કમી, વાળ અને ચામડીના રોગો…

વધતી જતી ઉંમરની નિશાની સૌથી પહેલા ત્વચા પર દેખાવા લાગે છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે. વૃદ્ધાવસ્થા આ પ્રભાવને ઓછો કરવા માટે ગોળનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને તમે પોતાના આહારમાં સામેલ કરવા સિવાય તેના ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

1) ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે, જે ફ્રી રેડીક સામે લડવામાં તમારી મદદ કરે છે. આથી દરરોજ થોડો ગોળ ખાવાથી ચહેરા પર કરચલીઓ નથી પડતી.
2) ગોળ ખાવાથી ચહેરાના કાળા ડાઘ, ખીલ વગેરે દૂર થાય છે. તમે ઈચ્છો તો તેનો ઉપયોગ ફેસ પેકના રૂપમાં પણ કરી શકો છો. આ માટે 1 ચમચી ગોળમાં 1 ચમચી ટમેટાનો રસ, અડધા લીંબુનો રસ, ચપટી હળદર, અને થોડી ગરમ ગ્રીન ટી નાખીને પેસ્ટ બનાવી લો. હવે તેને પોતાન ચહેરા પર 15 મિનીટ માટે રહેવા દો. હવે સામાન્ય પાણીથી ચહેરો ધોઈ નાખો.

3) ગોળમાં મુલતાની માટી, દહીં અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં લગાવવાથી વાળ જાડા, મુલાયમ અને રેશમી બને છે. તેનાથી વાળની ચમક વધે છે.

4) ગોળમાં મિનરલ્સ અને વિટામીન હોવાના કારણે તે ક્લીજરનું સારું કામ કરે છે. થોડા નવશેકા ગરમ પાણીમાં ગોળ  મિક્સ કરીને લેવાથી ત્વચાના પોર્સમાં રહેલ ગંદકી દુર થાય છે. જેનાથી સ્કીન ચમકદાર બને છે.

5) ગોળની ચા પીવાથી અથવા તો તેને ચાવીને ખાવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. કારણ કે તેને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તેને ખાવાથી ગેસ થતો નથી.
6) ગોળ એક પ્રકારનો પ્રાકૃતિક રક્ત શોધક છે. આથી તેને દરરોજ ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ખીલ, ડાઘ, કાળા ડાઘ અને અન્ય ત્વચા સંબંધી કોઈ બીમારી નથી થતી.

7) ગોળ ખાવાથી લોહીની કમી એટલે કે એનીમિયા નામની બીમારીથી બચાવ થઈ શકે છે. જો કે તેમાં પ્રચુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, આથી તે શરીરને સ્વસ્થ રાખે છે.
8) ગોળને આદુની સાથે ગરમ કરીને ખાવાથી શરદી અને તાવમાં રાહત મળે છે. તેનાથી ગળાની ખરેડી હોય તો તેમાં પણ રાહત મળે છે.

9) ગોળ અને આદુમાં એન્ટી હિલીંગ અને એન્ટી બાયોટીક નામના તત્વ રહેલા હોય છે. આથી દરરોજ ગોળના એક ટુકડા સાથે આદુ ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.
10) દરરોજ રાત્રે સૂતા પહેલા દુધમાં ગોળ નાખીને ખાવાથી ખુબ સારી નીંદર આવે છે. સાથે જ શરીરની નબળાઈ પણ દુર થાય છે. 

આમ તમે ગોળનું સેવન અનેક રીતે કરી શકો છો. તેમજ તેનાથી તમને અનેક બીમારી સામે પણ રક્ષણ મળી રહે છે. જે તમને એક તંદુરસ્ત જીવન પ્રદાન કરે છે. આમ તમે ગોળનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment