જો તમે જનધન ખાતું ખોલાવ્યું હોય તો આજે જ તમારા એકાઉન્ટને આધારકાર્ડ સાથે લિંક કરાવી લો. જો નહિ કરાવો તો તમને 1.30 લાખ રૂપિયાનું નુકશાન થઈ શકે છે. સરકાર તરફથી ખોલવામાં આવી રહેલા આ એકાઉન્ટમાં ગ્રાહકોને ઘણી પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રાહી છે. આ બેંક ખાતામાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલવામાં આવે છે. આ સિવાય તેમાં ઓવરડ્રાફ્ટ અને રૂપેકાર્ડ સહીત ઘણી ખાસ સુવિધાઓ મળે છે. તો આજે આ લેખમાં જણાવશું કે, આધારકાર્ડ સાથે જનધન ખાતું લિંક ન કરવામાં આવે તો કેવી રીતે તમને થશે 1.30 લાખ રૂપિયાનું નુકશાન.
આવી રીતે થાય છે 1.30 લાખ રૂપિયાનું નુકશાન : તમને જણાવી દઈએ કે, આ ખાતામાં ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જેમાં 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે, પરંતુ જો તમે તમારા ખાતાને આધારકાર્ડ સાથે લિંક નહિ કરાવો તો તમને તે બેનિફિટ નહિ મળે. એટલે કે, સીધે સીધું એક લાખ રૂપિયાનું નુકશાન થશે. આ સિવાય આ ખાતા પર તમને 30000 રૂપિયાનો એક્સીડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ કવર પણ આધારકાર્ડ બેંક સાથે લિંક હોય તો મળે છે. એટલા માટે ફટાફટ તમારા ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરાવી લો.
કેવી રીતે કરાવી શકો છો એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક : તમે બેંક જઈને ખાતાને આધારકાર્ડથી લિંક કરી શકો છો. બેંકમાં તમારે આધારકાર્ડની એક કોપી, પોતાની પાસબુક લઈ જવાની રહેશે. ઘણી બધી બેંક હવે મેસેજ દ્વારા પણ ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મેસેજ બોક્સમાં જઈને UID<SPACE> આધાર નંબર<SPACE>ખાતા નંબર લખીને 567676 પર મોકલી દો. તમારું બેંક ખાતું આધારકાર્ડ સાથે જોડાય જશે. પરંતુ ધ્યાન રહે કે, જો તમે આધારકાર્ડ અને બેંકમાં આપેલ મોબાઈલ નંબર અલગ અલગ હોય તો લિંક નહિ થાય. તેમજ તમે તમારા નજીકના બેંક ATM માં જઈને પણ બેંક ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરાવી શકો છો. આ રીતે મળે છે 5 હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા : પ્રધાનમંત્રી જનધન એકાઉન્ટ પર ગ્રાહકોને 5 હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. ઓવરડ્રાફ્ટની સુવિધાના ફાયદા લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય PMJDY એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક થવું જોઈએ. આ યોજના હેઠળ પીએમ મોદીનો ઉદ્દેશ્ય દરેક પરિવાર માટે માટે એક બેંક ખાતું ખોલવું જરૂરી હતું. જનધન યોજના હેઠળ તમે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ખાતું પણ ખોલી શકાય છે.
જનધન ખાતું ખોલવા માટે આ ડોકયુમેન્ટ હોવા જરૂરી : આધારકાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાયવિંગ લાયસન્સ અથવા PAN કાર્ડ, ચૂંટણી કાર્ડ, NREGA જોબ કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ હોવા જરૂરી છે.
નવું ખાતું ખોલવા માટે કરવું પડશે આ કામ : જો તમે તમારું નવું જનધન ખાતું ખોલવા ઇચ્છતા હો તો નજીકની બેંકમાં જઈને આસાનીથી આ કામ કરી શકો છો. તેના માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાંચનું નામ, અઆવેદ્કનું નામ, નોમીની, વ્યવસાય/રોજગાર અને વાર્ષિક આવક તેમજ આશ્રિતની સંખ્યા, એસએસએ કોડઅથવા વોર્ડનંબર, વિલેજ કોડ અથવા ટાઉન કોડ વગેરેની જાણકારી દેવાની રહેશે.