મિત્રો હાલ દેશમાં આપણે જોઈએ છીએ કે ચીન અને ચીની વસ્તુઓનો ખુબ જ બહિષ્કાર થઈ રહ્યો છે. તો એ બહિષ્કારને લઈને બોલીવુડની એક અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. એ અભિનેત્રીએ જણાવ્યું છે કે, ચીનની દરેક વસ્તુને બોયકોટ કરવી જોઈએ. તો ચાલો જાણીએ કોણ છે એ અભિનેત્રી અને શું કહ્યું છે તેણે એ વિડીયોમાં, જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો પહેલેથી જ આપણો દેશ કોરોના વાયરસ સાથે લડી રહ્યો છે. તેની વચ્ચે થોડા સમય પહેલાં જે રીતે ચીન સાથે લદ્દાખમાં ભારતીય સેના સાથે સંઘર્ષ કરી રહી હતી. જે હાલ ખુબ જ ચર્ચામાં છે. ચીન સાથે થયેલા સંઘર્ષમાં આપણા 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. તો લદ્દાખમાં બનેલ આ ઘટનાને લઈને ભારતવાસીઓમાં ખુબ જ રોષ જોવા મળે છે. ભારત સરકારે પણ 59 જેટલી ચાઇનીઝ એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ મુક્યો છે. તો કંગના રનૌત દ્વારા લોકોને એક વિડીયો દ્વારા અપીલ કરવામાં આવી છે, તેણે અપીલ કરતા જણાવ્યું કે, ધીમે ધીમે ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દો.
એક્ટ્રેસ કંગના રનૌતે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. તે વિડીયોની થીમ છે, ‘બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ્સ.’ એ વિડીયોમાં કંગના રનૌત જણાવી રહી છે કે, કંઈ રીતે ચાઇનીઝ ગુડ્સને બોયકોટ કરવાની જરૂર છે. એક્ટ્રેસ એવું કહી રહી છે કે, લદ્દાખ પર પોતાની લાલચી નજરો રાખીને ચીન આપણને કષ્ટ આપવા ઈચ્છે છે. ત્યાં આપણી સીમાની જમીનના એક એક ઇંચ બચાવતા આપણા જવાનો શહીદ થઈ ગયા. શું તમે તેની માતાના આંસુ અને તેના બાળકોના બલિદાનને ભૂલી શકશો. શું એવું વિચારવું યોગ્ય છે કે, સરહદ પર જે યુદ્ધ થાય છે તે માત્ર સેનાનું જ હોય છે !
#BoycottChineseProduct pic.twitter.com/Jwt2ESYP4b
— Kangana Ranaut (@thekangana) June 28, 2020
આગળ પણ કંગનાએ જણાવ્યું કે, શું આપણે ભૂલી ગયા એ સમય જ્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, તમારે અંગ્રેજોને હરાવવા હોય તો તેના બનાવેલા સામાનનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે. આજે પણ એ જ કરવાની જરૂર છે. લદ્દાખ એક જમીનનો ટુકડો જ નહિ પરંતુ તે આપણું ગર્વ છે. ભારતની હથેળી છે આસામ. આપણે તેને કોઈ પણ કિંમતમાં કોઈને પણ ન આપી શકીએ. આપણે બધાએ પણ તેમાં આપણું યોગદાન આપવું જોઈએ અને ચાઇનીઝ વસ્તુ અને પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવો જોઈએ. શું એ આપણું કર્તવ્ય નથી કે આપણી સેના અને સરકારનો સાથ આપવો જોઈએ.
તમને જણાવી દઈએ કે કંગના રનૌત ખુબ જ સ્પષ્ટ બયાન આપે છે, આ પહેલાં સુશાંત સિંહના મૃત્યુ સમયે પણ કંગનાએ સ્પષ્ટતા સાથે બોલીવુડના નેપોટીઝમને લઈને ભડકી ગઈ હતી. તો આ વખતે પણ તેણે દેશની સાથે રહેવા માટે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું.