આ નાનકડી વસ્તુ કરશે 20 થી વધુ રોગોનો સફાયો… દવાને પાછળ મૂકી આપશે ચમત્કારિક પરિણામ…. જાણો ઉપયોગ કરવાની રીત…

સામાન્ય રીતે પુરુષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગમાં લે છે. તેના સિવાય ઘણા લોકો પાણીને ચોખ્ખું કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને આ લેખના માધ્યમથી કોઈપણ ઇજા થઈ હોય કે ઘા ને રુજવવા માટે ફટકડી નો ઉપયોગ જણાવીશું. જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. તો આવો ઘા ને મટાડવા તથા બીજી અનેક સમસ્યાઓ ને દૂર કરવામાં ફટકડીના ઉપયોગ જાણીએ.  

1) વાગેલા ઘા ને રુજવવા માટે ફાયદાકારક:- જો ઈજા પર કોઈ ઘા થઈ ગયો હોય અને ત્યાંથી સતત લોહી નીકળતું હોય તો તે ઘા ને ફટકડીના પાણીથી ધોવું જોઈએ. તેનાથી થોડા જ સમયમાં લોહી નીકળતું બંધ થઈ જશે અને ઘા માં રાહત થશે. જો તમને ફટકડીનાં પાણીનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેને બારીક પીસીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.ફટકડીના ટુકડા નો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. ઓગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે તે ફુલીને પતાસા જેવી બની જશે. આનો પાઉડર બનાવીને બોટલમાં ભરી લેવી. દવા તરીકે આ ફુલાવેલી ફટકડી નો જ ઉપયોગ કરવો. બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી નો ઉપયોગ કરાય છે. ફટકડી લોહીને વહેતું બંધ કરે છે. એના આવા ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં ખૂબ જ ઉપયોગી છે.

2) ચામડી ના રોગો માં ફાયદાકારક:- જે લોકોને અવારનવાર  મોંમાં ચાંદા થઈ જતાં હોય તેઓએ ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. ત્યાર બાદ તેને ચાંદાવાળા ભાગ પર લગાવો તેનાથી થોડાક જ સમયમાં રાહત થશે. ફટકડી ચહેરા પરની કરચલીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ એવી બ્યુટી ટિપ્સ છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચોક્કસપણે કામ અસર કરે છે.આવી રીતે કરો ફટકડીનો ઉપયોગ.શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો. ત્યાર બાદ આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં રાહત થાય છે.

ફટકડીનો મલમ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેથી, જ્યારે તેનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે છે, ત્યારે તે માત્ર ડાઘને જ દૂર નથી કરતી પરંતુ, ચહેરા પર ગ્લો પણ લાવે છે. દાંત ના દુખાવાને દુર કરવામાં પણ ફટકડી ફાયદાકારક છે.

3) પગ નો સોજો અને થાક દૂર કરવા:- ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગનો સોજો, થાક, દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.આવું દરરોજ નિયમિતરૂપે એકવાર કરો. જો તમે ઈચ્છો, તો ફટકડીના મોટા ટુકડાને પાણીમાં નાખીને અને તેને ચહેરા પર હળવા હાથે ઘસો. થોડા સમય પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો.કેટલાક લોકોને વધુ પડતો પરસેવો થતો હોય છે, તો કેટલાકને ઓછો થાય છે, પરંતુ સમસ્યા ત્યારે વધી જાય જ્યારે શરીરમાંથી પરસેવાની સાથે દુર્ગંધ પણ આવવા લાગે છે. જો તમને પણ વધારે પરસેવો થાય છે અને પરસેવામાંથી દુર્ગંધ આવે છે, તો ફટકડીનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ફટકડીનો બારીક પાવડર બનાવી લો. નહાતા પહેલા આ ફટકડીનો થોડો પાવડર પાણીમાં નાંખો. આ પાણીથી નહાવાથી પરસેવાની દુર્ગંધની સમસ્યા દૂર થશે.

4) ઝાડાની સમસ્યા દૂર કરવા:- ઝાડાની સમસ્યાથી બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને શેકી લો અને હવે આ શેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા મટાડવામાં મદદ મળે છે. ફટકડીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ વ્યક્તિના મોંમાંથી દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ માટે, તેનો ઉપયોગ કુદરતી માઉથવોશ તરીકે થઈ શકે છે. દાંતનો દુખાવો અથવા મોંમાંથી દુર્ગંધ ,બંને કિસ્સામાં ફટકડીના પાણીથી બનાવવામાં આવેલો ગાર્ગલ થોડા દિવસોમાં સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે.જ્યારે પેશાબમાં ઇનફેક્શન હોય છે ત્યારે ફટકડીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જેમને યુરિન ઇન્ફેક્શન થયું હોય તેમને પોતાના ગુપ્ત ભાગને ફટકડી ના પાણીથી સાફ કરવો જોઈએ. થોડા દિવસો સુધી આમ કરવાથી ઇન્ફેક્શન નું જોખમ દૂર કરવામાં મદદ મળે  છે.

મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ દૂર કરી શકાય  છે. દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને દન્ત મંજન બનાવી લો. આ મંજનનો ઉપયોગ દરરોજ કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

દારૂ પીને લથળિયા ખાતા અને બેભાન બનેલા વ્યક્તિને જો એક રૂપિયા ભાર જેટલી ફટકડીને પાણીમાં ઓગાળીને પીવડાવવામાં આવે તો તે તરત જ ભાનમાં આવે છે અને નશો ઉતરી જાય છે. જો વધુ પડતો માસિક સ્ત્રાવ થતો હોય તો સવાર સાંજ 1/4 ચમચી ફટકડી નો પાવડર લેવાથી ખૂબ સારું પરિણામ મળે છે. કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય તો ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો. તેનાથી સોજો જખમ અને લાલાશ દૂર કરવામાં મદદ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment