કરો રસોડામાં રહેલા આ મસાલાનું સેવન, વગર દવાએ મળશે, કફ, ઉધરસ, ગેસ, અપચો અને ફેફસાના રોગો સહીત અનેક ગંભીર રોગોથી કાયમી છુટકારો…

મિત્રો આપણી મોટા ભાગની સમસ્યાઓના સમાધાન માટે આપણું રસોડું જ કાફી છે. આજે અમે તમને એવી એક વસ્તુ વિશે જણાવીશું જે દરેકના રસોડામાં મોટાભાગે વપરાતી હોય છે. અને તે છે હિંગ. હિંગ રસોઈ નો સ્વાદ જ નથી વધારતી પરંતુ તેમાં સુગંધ ભરીને ખોરાકને વધુ વિશિષ્ટ બનાવે છે. અને જો ભોજનમાં હિંગનો ઉપયોગ કરવામાં આવે તો ભોજન સરળતાથી પચી જાય છે.

તેથી જ કઠોળ હોય, શાક હોય, દાળ હોય કે અન્ય કોઈપણ વાનગી હોય તેના વઘાર માં પરંપરાગત રૂપે રાય, જીરૂની સાથે દરેક ઘરમાં હિંગનો વઘાર તો કરવામાં આવે જ છે. ઘણા લોકો હિંગને વઘારણી થી પણ સંબોધે છે, એટલે કે જાણે હિંગ વઘાર નો જ પર્યાય બની ગઈ છે. આયુર્વેદ માં એવું કહેવાય છે કે હિંગ ના ઉપયોગથી પાચન સરળતાથી થાય છે અને ગેસ જેવા રોગો નથી થતા.

અફઘાનિસ્તાન અને ઈરાનમાં હિંગના ઝાડ આવેલા છે. ઝાડના મૂળમાં કાપા કરવાથી તેમાંથી જે રસ ઝરે છે તેને સુકવીએ તો તે હિંગ બને છે. આ ખૂબ જ શુદ્ધ હિંગ હોય છે. આમ તો સામાન્ય રીતે જે આપણે રસોઈમાં વઘાર માટે હિંગ વાપરીએ છીએ તેમાં 30 ટકા હિંગ નો પાવડર અને બાકીનો મેંદો તથા ચોખાનો લોટ મિક્સ કરેલો હોય છે.સંસ્કૃતમાં હિંગને હિંગુ કહેવામાં આવે છે. એ અનુસાર હિંગનો થોડો કડવો અને તીખો રસ હોય છે. તેના ઉષ્ણવીર્ય તેમજ નાડીસંસ્થાન પર થતી વિશેષ સંકોચ પ્રમશક- એન્ડિસ્પાઝમોડિક ગુણોની અસરથી હોજરી, આંતરડા વગેરેના અંગોની આંતરકલા પર તીવ્ર, તિક્ષ્ણ અને સારક અસરથી પાચક રસો અને એન્ઝાઈમ સરળતાથી નીકળે છે.

કફ કે વાયુને કારણે અવયવોની આંતરિક ત્વચા ના છિદ્રોમાં અવરોધ થયો હોય, ત્વચા પર સૂકાયેલા કફ કે અન્ય ઝેરીલા દ્રવ્યોની પરત જામી હોય તો તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ જે તે અવયવોની આંતરકલાનું કામ સુધારવામાં ફાયદાકારક છે. આથી જ જયારે વાયુના અવરોધ ના કારણે પેટમાં ગેસનો ગોળો ચઢ્યો હોય કે પછી હોજરીમાં પાચકરસો યોગ્ય પ્રમાણમાં નીકળતા ન હોય અને તેના કારણે પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તો તેવી પાચનની તકલીફમાં આયુર્વેદ વિશિષ્ટ પ્રક્રિયાથી હિંગનો દવા તરીકે ઉપયોગ કરવાનું સૂચવે છે.

જો પેટમાં દુખાવો થતો હોય કે પેટ ફૂલી ગયું હોય તથા બાળકના પેટમાં ચૂક આવતી હોય તો તેવી સ્થિતિમાં હિંગ ને ઘી માં ઓગાળીને ડુંટી પર લગાવવાની પરંપરા ખૂબ જ વર્ષોથી જાણીતી છે. નાડીના સંકેતોનું નિયમન કરવાની હિંગની પોતાની વિશિષ્ટ અસર છે અને તેના દ્વારા આંતરડામાં થયેલા અવરોધને દૂર કરે છે અને વાયુને નીચેની તરફ ગતિ આપવામાં મદદ કરે છે.માત્ર વાયુના આફરા એટલે કે અપચા માટે જ નહી આઇબીએસ જેવા ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમમાં આંતરડામાં નાડીતંત્રની અનિયમિતતાથી ક્યારેક કબજીયાત તો ક્યારેક ઝાડા થતાં હોય છે. આ પ્રકારના રોગો માં પણ હિંગને અન્ય ઔષધિ સાથે મેળવીને ખૂબ જ સરળ ઉપચારથી રોગ મટાડવામાં આવે છે. દવા માટે જયારે હિંગનો ઉપયોગ થાય છે ત્યારે રસ રૂપે નીકળતી શુદ્ધ હિંગ ઉપયોગમાં લેવામાં આવે છે .

માત્ર પાચનના રોગ જ નહી શ્વસનતંત્રમાં, નાડીનાં અનિયમિત સંકેતને કારણે તથા કફ તથા વાયુથી થતાં રોગમાં પણ હિંગ નો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે. આથી જ અસ્થમા, બ્રોન્કાઈટીસ, ઉંટાટિયુ-વ્હુપિંગકફ, ખૂબ છીંકો-ખાંસી આવવી જેવી સમસ્યાઓમાં હિંગ નો ઉપયોગ કરવામાં આવે છે. ફેફસાનાં રોગ માટે કાચી હિંગ કે પાણીમાં ઓગાળીને હિંગનો ઉપયોગ કરવાથી તેમાં રાહત થાય છે. જયારે પાચનના રોગમાં હિંગને ઘી અથવા દિવેલમાં તળીને ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

માસિકની સમસ્યા માં પણ હિંગનો ઉપયોગ પરંપરાગત રીતે થતો આવ્યો છે. દેશી ગોળમાં 2 થી 3 રતી જેટલી એટલે કે આશરે 3 મીલી ગ્રામ જેટલી હિંગ ભેળવી તેની નાની ગોળી બનાવી જમ્યા પછી હુંફાળા ગરમ પાણી સાથે ગળવાથી રોકાઈ ગયેલું માસિક, ફરી ચાલુ થાય છે.માસિક દરમ્યાન પેઢા માં થતો દુઃખાવો મટાડવા માટે પણ હિંગનો પરંપરાગત રીતે ઉપયોગ અસરકારક છે. ડિલિવરી પછી હિંગનાં ઉપયોગથી પેઢુમાં વાયુ જામીને દુઃખાવો થવો, કબજીયાત, પેટ ફૂલવું, કમરનો દુઃખાવો જેવી સમસ્યા પણ મટાડી શકાય છે. સ્ત્રીઓને થતાં હિસ્ટેરિયા રોગમાં હિંગવટીનો ઉપયોગ અન્ય ઔષધિઓની સાથે કરવાથી ઘણો ફાયદો થાય છે.

શરીર જયારે બહારથી સંકેતો મેળવીને મગજને મોકલીને, મગજ દ્વારા જે સૂચના-સંકેત મેળવવામાં નાડિની કાર્યક્ષમતા અને નિયમિતતા ન જળવાતી હોય તેવા, પાચન, શ્વસન, ગર્ભાશય, મળાશયના રોગોમાં હિંગનો યુક્તિપૂર્વકનો ઉપયોગ કરીને દુખાવામાં કુદરતી દ્રવ્યોથી રાહત મેળવી શકાય છે.

વારંવાર બરડાની નસ ચઢી જવી, હેડકી આવવી જેવા આમ તો સામાન્ય રીતે રોગ નથી ગણાતા. પરંતુ આનાથી દર્દીને ખૂબ જ તકલીફ પડે છે. આવી પરિસ્થિતિમાં અન્ય કોઈ બીમારીની સંભાવના જણાતી નથી તેથી ડોક્ટર  રોગીને એમ કહીને છોડી દેતા હતા કે કોઈ વિશેષ ગંભીર બીમારી નથી. આવી સ્થિતિમાં સરસિયાની માલિશ, હિંગ અને ગોળનો ઉકાળો અને જરૂર જણાય ત્યારે પાણીમાં ઓગાળેલી હિંગનું નસ્ય આપવાથી નાડીની અનિયમિતતા થઇ સ્નાયુનું ખેંચાણ તથા હેડકી બંધ કરીને હિંગ રાહત આપવા સક્ષમ બને છે.ખૂબ જ પ્રચલિત ઔષધી હિંગ્વાષ્ટક ચૂર્ણનું મુખ્ય દ્રવ્ય હિંગ છે. અપચો, ગેસ, કબજીયાત જેવી બીમારીમાં ઘી સાથે ભેળવી 3 ગ્રામ જેટલું ચૂર્ણ જમવાના પહેલા કોળિયામાં ખાવાથી ખૂબ અસરકારક છે. હાયપર એસિડીટીથી થતાં અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી બચવું.

હીંગમાં કોમરિન્સ નામના તત્વ રહેલા હોય છે. જે લોહીને પાતળું કરીને લોહીના પ્રવાહને વધારવાનું કામ કરે છે. તેના કારણથી લોહી જામતું નથી. તેમા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ ઘટે છે. જેના કારણથી હાઇપરટેન્શનથી બચવામાં મદદ મળે છે.

હીંગમાં રહેલા તત્વ પીરિયડ્સથી જોડાયેલી દરેક સમસ્યા જેમ કે ક્રેમ્પસ, અનિયમિત પીરિયડ્સ તેમજ દુખાવામાં રાહત અપાવે છે. તે સિવાય લ્યુકોરિયા અને કૈડિડા ઇન્ફ્કેશન ઝડપથી સારુ કરવામાં મદદરૂપ થાય છે.હિંગમાં શક્તિશાળી એન્ટી-ઓક્સીડે્ટસ હોય છે. હિંગને સતત ખવાથી ફ્રી રેડિકલ્સથી શરીરની કોશિકાઓને બચવામાં મદદરૂપ થાય છે. હિંગની કેન્સર વિરોધી ગતિવિધિ કેન્સર કોશિકાઓના વિકાસનો અવરોધ કરે છે.

હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇનફ્લેમેટરી તત્વ હોય છે. જેના કારણથી હિંગને સ્કિન કેર ઉત્પાદનોમાં મિક્સ કરવામાં આવે છે. તે ત્વચા પર થતી બળતરા જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. હિંગથી ત્વચા ને ઠંડક મળે છે અને સાથે જ ત્વચાની સમસ્યાઓ માટે બેક્ટેરિયા પણ દૂર કરે છે.

આદુ અને હિંગને મધમાં મિક્સ કરીને ખાવાથી ઉધરસ અને સૂકી ઉધરસમાં રાહત થાય છે અને હિંગનો ઉપયોગ સૌથી સારો ઘરેલુ ઉપચાર છે. હિંગ એક શ્રેષ્ઠ ઉપાય છે. દરરોજ ભોજનમાં હિંગનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment