રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, શરીરમાં થશે આવા અનેક ચમત્કારિક ફાયદાઓ…

શિયાળામાં સ્વાસ્થ્યની જાળવણી રાખવી ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાથે જ આયુર્વેદમાં પણ લવિંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ભોજનમાં લવિંગને સામેલ કરવાથી શરીરમાં ગરમાવો આવી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે લવિંગનું તેલ પણ અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે. વિશેષ રૂપે જો તમે આને નાભી માં માત્ર 2 ટીપા નાખો છો તો તેનાથી શિયાળામાં થતી અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. આજે અમે આ લેખના માધ્યમથી નાભીમાં લવિંગનું તેલ લગાવવાના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.

નાભિમા લવિંગનું તેલ લગાવવાના કયા ફાયદા થાય છે?:- નાભી માં લવિંગનું તેલ લગાવવાથી અસ્થમા, પેટનો દુખાવો, આંખોની સમસ્યા વગેરેને દૂર કરી શકાય છે. તેના સિવાયના નાભી માં લવિંગનું તેલ લગાવવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે. તો આવો જાણીએ.

1) અસ્થમાથી રાહત પ્રદાન કરે:- નાભીમા લવિંગનું તેલ લગાવવાથી અસ્થમાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરી શકાય છે. વિશેષ રૂપે જો શિયાળાના દિવસોમાં અસ્થમાથી જોડાયેલી સમસ્યાઓ વધી રહી હોય તો આ સ્થિતિમાં રાત્રે સુતા પહેલા નાભી પર તેલ લગાવો. તેનાથી શ્વાસ લેવામાં થતી તકલીફને દૂર કરી શકાય છે.

2) પેટનો દુખાવો દૂર કરે:- નાભીમાં લવિંગનું તેલ લગાવવાથી પેટમાં બળતરા કે દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ તેલના ટીપા ને નાભી માં લગાવવાથી એસિડિટી અને પેટમાં થતી બળતરા દૂર થાય છે. પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે રાત્રે સુતા પહેલા નાભીમાં લવિંગનું તેલ નાખીને માલીશ કરો. તેનાથી તમને ઘણી જ રાહત મળશે.

3) આંખોનો સોજો દૂર થાય:- નાભી માં લવિંગનું તેલ લગાવવાથી આંખોના સોજા ને દૂર કરી શકાય છે. વિશેષ રૂપે શિયાળાના દિવસોમાં આંખોથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે નાભીમાં લવિંગનું તેલ લગાવો. તેનાથી આંખોની લાલાશ અને બળતરા દૂર કરી શકાશે.

4) ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર કરે:- નાભીમાં લવિંગનું તેલ લગાવવાથી તમને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ તેલને નાભી પર લગાવવાથી ત્વચામાં થતા સંક્રમણથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. તેના સિવાય તમે લવિંગના તેલને પોતાના ચહેરા પર પણ લગાવી શકો છો.

5) ઘૂંટણ થી દુખાવામાં રાહત:- રાત્રે સુતા પહેલા નાભીમાં લવિંગનું તેલ લગાવો તેનાથી ઘૂંટણોમાં થતો દુખાવો અને સોજાથી રાહત મળશે. વિશેષ રૂપે શિયાળાના દિવસોમાં લોકોને સાંધામાં ખૂબ જ તકલીફ અને દુખાવો રહેતો હોય છે. આવી સ્થિતિમાં લવિંગનું તેલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તેલને રાત્રે સુતા પહેલા ઘૂંટણો પર લગાવો. તેના સિવાય નાભી માં લવિંગના તેલને લગાવવાથી અસરકારક પરિણામ મળે છે.

નાભી મા લવિંગનું તેલ લગાવવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ થઈ શકે છે. પરંતુ જો તમને લવિંગ થી કોઈ પણ પ્રકારની સમસ્યા કે એલર્જી ની ફરિયાદ હોય તો નાભી માં લવિંગનું તેલ લગાવતા પહેલા એક્સપર્ટ ની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment