ભલભલા રોગો માટે કાળ સમાન છે આ છાલ, હરસ, મસા, હૃદય રોગ અને ડાયાબિટીસ થઈ જશે ગાયબ… જાણો ઉપયોગની રીત…

દરેક પ્રકારના શાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. આપણે દરેક પ્રકારના શાકનું સેવન કરીએ છીએ. આવા શાકમાં એક દુધીનો સમાવેશ થાય છે. આપણે અવારનવાર દૂધીના શાકનું સેવન કરતા પણ કરીએ છીએ, પરંતુ શાક બનાવતી વખતે  દૂધીની છાલ ઉતારીને શાક બનાવવામાં છે. પરંતુ શું તમે જાણો છો દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન બી1, બી2, બી3, બી5, અને બી6, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને જસત જેવા તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે અતિ આવશ્યક તત્વો માનવામાં આવે છે. દૂધીની છાલ ચહેરાની સુંદરતા વધારવાની સાથે સાથે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે.

દૂધીની છાલના ફાયદા:- આજના સમયમાં મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં, દૂધીની છાલ ગેસની સમસ્યાઓ ઘટાડવામાં અસરકારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ગેસ, કબજિયાતને દૂર કરવામાં અત્યંત અસરકારક છે.જો કોઈ વ્યક્તિને હરસ-મસા એટલે કે પાઈલ્સની સમસ્યા હોય તો તેની સારવારમાં દૂધીની છાલ ખૂબ જ મદદરૂપ થાય છે. તેના માટે, દૂધીની છાલને કાપીને સૂકવી લો. ત્યાર બાદ સૂકવેલી છાલનો પાવડર બનાવી લો. હવે તેને દિવસમાં બે વાર ગરમ પાણી સાથે દરરોજ સેવન કરો. તેનાથી હરસ-મસાની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે.

ઘણી વખત ગરમીની ઋતુમાં લોકોના પગમાં બળતરા થતી હોય છે. આ બળતરા દૂર કરવા માટે દૂધીની છાલનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. તેના માટે સૌ પ્રથમ દૂધીની છાલનો રસ તૈયાર કરી લો. ત્યારબાદ આ રસને જ્યાં બળતરા થતી હોય તે વિસ્તાર પર લગાવો. તેનાથી બળતરા ઓછી થશે. આ ઉપરાંત, દૂધીની છાલને પગના તળિયે લગાવી ભીના કપડાથી પાટો બાંધીને રાત્રે સુઈ જાવ આમ કરવાથી પગના તળીયા બળશે નહિ. બળતરા માંથી જલ્દી રાહત મેળવવા છાલનું જ્યુસ પી શકો છો.આજના સમયમાં લોકો વાળથી સમસ્યાથી ખૂબ જ પરેશાન રહે છે. આવી સ્થિતિમાં વાળની સમસ્યાઓ દૂર કરવા દૂધીની છાલ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો જેવા કે ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, વિટામિન બી અને વિટામિન સી વાળને પોષણ પૂરું પાડે છે. તેના માટે દૂધીની છાલ માંથી તૈયાર કરેલું હેર માસ્ક લગાવી શકો છો.

તડકામાં કાળી થયેલી ત્વચામાં ગ્લો લાવવામાં પણ દૂધીની છાલ મદદરૂપ થાય છે. ચામડીનો રંગ નિખારવા માટે દૂધીની છાલને બારીક પીસીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક બાઉલમાં બે ચમચી પેસ્ટ લઇ તેમાં એક ચમચી ચંદન પાવડર નાખી તેને ચહેરા પર લગાવો. તેને વીસ મિનિટ માટે રાખી પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરો આમ કરવાથી ચહેરામાં ચમક આવી જશે તેની અસર તમને તરત જ જોવા મળશે.ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધીની છાલ અત્યંત ફાયદાકારક છે. દૂધીની છાલનો રસ ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે. તેના માટે 10-20 મિલી દૂધીની છાલ નો રસ 1 ચમચી આમળાના રસમાં મિક્સ કરીને અઠવાડિયામાં 2 વાર સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીને બ્લડ શુગર ઘટે છે અને ડાયાબિટીસ સંબંધિત બળતરા, લોહીની કમી, સામાન્ય નબળાઇ વગેરે સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment