સંજીવની સમાન આ ઔષધીથી અનેક રોગો રહેશે જીવનભર ગાયબ, નપુંસકતા, કેન્સર સહિત એસિડીટીથી મળશે કાયમી છુટકારો… જાણો સેવનની રીત…

આપણા ભારતીય મસાલા સ્વાદ, સુગંધ અને ગુણોનો ખજાનો છે. આ મસાલા આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે. આવા મસાલામાંથી એક કાળી એલચી છે જેનો ઘણીવાર ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેની તીવ્ર સુગંધ ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે. તમને જણાવી દઇએ કે, કાળી ઇલાયચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ડાયટમાં કાળી ઈલાયચીનો સમાવેશ કરવાથી શરીર સ્વસ્થ રહે છે સાથે સાથે ત્વચા પણ સુંદર રહે છે. હૃદય અને લિવર જેવા અંગો માટે પણ તેમાં રહેલા ગુણધર્મો ખૂબ ફાયદાકારક છે.

કાળી એલચીના ફાયદા:- કાળી એલચીના સેવનથી પેટમાં રહેલા ગેસની સમસ્યા દૂર થાય છે તેમજ જો ભૂખ ન લાગતી હોય કે ઓછી લાગવાની સમસ્યા પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે રોજ કાળી ઈલાયચીને તમારા ભોજનમાં સામેલ કરો છો તો તેનાથી પેટ ફૂલવાની સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે.જો કોઈ વ્યક્તિને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો, કાળી એલચીનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ તમારા દાંતના ચેપ, પેઢાના ચેપ અને મોં ની ખરાબ દુર્ગંધ દૂર કરવામાં અસરકારક છે. આજના સમયમાં લોકો બહારનું ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ કારણે તેમને એસિડિટીની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, જો આહારમાં કાળી એલચીનો સમાવેશ કરવામાં આવે તો એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે  છે.

અનિદ્રા ની સમસ્યા દૂર કરવા માટે કાળી એલચીનું સેવન અત્યંત ફાયદાકારક છે. તેને રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથી ઊંઘ સારી આવે છે. આ ઉપરાંત સવારે ચા અને વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને સેવન કરી શકાય. રાત્રે સૂતા પહેલા પુરુષોએ ઓછામાં ઓછી 2 એલચી ખાવી જોઈએ. પુરુષોએ નિયમિત એલચી ખાવાથી નપુંસકતાની સમસ્યા દૂર કરી શકાય છે. કારણ કે એલચી અંગત સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તેને પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો.એક્સપર્ટ પ્રમાણે કાળી એલચી ફેફસાંના રક્ત પરિભ્રમણને સારું બનાવે છે. જેના કારણે અસ્થમા અને શરદી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. શ્વાસની સમસ્યાથી પીડાતા દર્દીઓના આહારમાં જો કાળી એલચી  સામેલ કરવામાં આવે તો તેમની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળી એલચીની તાસીર અત્યંત ગરમ હોય છે. એલચી ની પ્રકૃતિ ગરમ હોવાના કારણે શરદી ની સમસ્યા દૂર કરવામાં ઘણી રાહત મળે છે. 

તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે જે વિવિધ પ્રકારના કેન્સરને રોકવામાં અસરકારક છે. તે શરીરમાં કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે છે. તે એન્ટીઓકિસડન્ટ ગ્લુટાથિઓનના સ્તરમાં પણ વધારો કરે છે.

આજકાલ સુંદર ત્વચા મેળવવા માટે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારના ઘરેલૂ નુસખા અજમાવતા રહે છે. પરંતુ આવા અનેક પ્રયત્નો છતાં ત્વચા સુંદર દેખાતી નથી. આવી સ્થિતિમાં કાળી ઈલાયચીનું સેવન મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી અને મિનરલ, પોટેશિયમ ત્વચાના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરી શકે છે.તેથી તેમાં ગ્લો અને નિખાર આવી જાય છે. તેમજ યુવાની જાળવી રાખવામાં પણ કાળી ઈલાયચી અસરકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment