શરીરના ભલભલા રોગો ફક્ત 1 ચમચીમાં થઈ જશે ગાયબ, ગેસ, એસિડીટી અને કબજિયાત તો કરી દેશે 5 જ મિનીટમાં દુર…

ભારતીય ભોજનમાં મસાલાનું વિશેષ મહત્વ છે. આ મસાલા જ ભોજન નો સ્વાદ સુગંધ અને આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવાનું કામ કરે છે. દરેક ભારતીય રસોઈ ઘરમાં એવા તમામ મસાલા હાજર હશે જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, વરીયાળીનો ઉપયોગ પણ લગભગ દરેક ઘરમાં કરવામાં આવતો જ હશે.

ખાવામાં મસાલા તરીકે વરિયાળીનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીનો માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે. વરિયાળી ઔષધિ ગુણો થી ભરપૂર છે. વરીયાળી આપણા સ્વાથ્ય માટે ખુબ ફાયદાકારક છે.

સ્વસ્થ રહેવા માટે જરૂરી દરેક પોષક તત્વો વરીયાળી માંથી મળી આવે છે. વરિયાળીમાં પોટેશિયમ આયરન, એન્ટી ઇમ્ફલેમેન્ટરી, ફોલેટ, વિટામિન સી, ફાઇબર મેગેનિઝ, એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણોથી ભરપૂર છે. જો પેટ સંબંધિત સમસ્યાઓ થઇ હોય તો વરિયાળીના પાણીનું સેવન અત્યંત ફાયદાકારક છે. આ સિવાય નિયમિત વરિયાળી ખાવાના અન્ય ફાયદાઓ પણ છે. તો ચાલો આજે આપણે આ લેખમાં જાણીશું વરિયાળી ખાવાના કેટલાક અનોખા ફાયદા.

1) પેટમાં થતા અપચો, સોજો અને કબજિયાતની સમસ્યાને વરિયાળીમાં રહેલું તેલ દુર કરે છે. તેથી વરીયાળી વાળું દૂધ પીવાથી પેટને લગતી બધી સમસ્યાને મટાડવા માટે તે ખુબ ફાયદાકારક છે. વરીયાળીનું સેવન કરવાથી પેટમાં થતો ગેસ અને એસિડીટીમાં પણ ફાયદો થાય છે.વરીયાળીનું દૂધ પીવાથી એસિડિટી તથા મસાલાવાળા ખોરાકથી થતી એસિડિટી અને સોજો દૂર કરવામાં મદદરૂપ થાય છે.

2) ઉધરસ મટાડવા માટે 10 ગ્રામ વરિયાળીમાં થોડું મધ ઉમેરી દિવસમાં 2 થી 3 વાર સેવન કરવાથી ઉધરસમાં ફાયદો થાય છે.અથવા 1 ચમચી વરિયાળી અને 1 ચમચી અજમાને આ અડધા લીટર પાણીમાં ઉકાળી બાદમાં તેમાં ચમચી મધ ઉમેરી ઠંડુ થવા દેવાનું. આ ઉકાળાને દર 1 કલાકે 3 ચમચી પીવાથી ઉધરસમાં રાહત થાય છે.3) વરિયાળીનું પાણી પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેમાં રહેલું ફાઇબર શરીરનેમાં એનર્જીને ભરી દે છે. તેના નિયમિત સેવનથી ભૂખ પણ ઓછી લાગે છે અને નબળાઇ પણ નથી અનુભવાતી. આ તમામ ગુણોના કારણે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી પેઢામાં થતા દુઃખાવા અને ઉલ્ટીની સમસ્યાને દૂર કરી શકાય છે.

4) વરિયાળીનાં પાણીમાં ફાઇબરનું સારું એવું પ્રમાણ મળી આવી છે, જેના કારણે તે શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે, અને શરીરની ગંદકીને સાફ કરે છે. તેનાથી લોહી પણ સાફ થઇ જાય છે. તેના માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દો અને સવારે ઉઠીને તે પાણીનું સેવન કરો. તેનાથી ઘણો ફાયદો થશે.5) વરીયાળી કુદરતી માઉથ ફ્રેશનર છે. તે ચાવવાથી તેમાંથી સુગંધિત તેલ નીકળે છે, જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ પેઢાના ચેપથી બચાવે છે. પાણીમાં થોડી વરીયાળી નાખીને ઉકાળો અને ઠંડી થાય એટલે કોગળા કરો. આ પ્રમાણે નિયમિત કરવા થી મોઢા માંથી દુર્ગંધની સમસ્યાને દૂર કરી શકાય છે..

6) નાના બાળકો પાચનની સમસ્યાથી હંમેશા પરેશાન હોય છે. બાળકોને પેટના રોગ માટે 2 ચમચી વરિયાળીના ચૂર્ણને 2 કપ પાણીમાં સારી રીતે ઉકાળી લો. 2 ભાગ જેટલું પાણી બળે તેટલું ઉકાળી બાદમાં ઠંડુ કરો. આ ઉકાળાને દિવસમાં 2 થી 3 વાર એક-એક ચમચી પીવડાવો. મોઢામાં છાલા પડ્યા હોય તો વરિયાળીને ઉકાળીને પાણી અડધું રહે ત્યારે તેમાં ફટકડી ઉમેરીને દિવસમાં 2 થી 3 વાર સેવન કરવાથી મોઢાના છાલામાં રાહત થાય છે.

7) વરિયાળીના પાવડરને સાકર સાથે બરાબર મિક્સ કરીને ખાવાથી હાથ-પગની બળતરા દૂર થાય છે. જમ્યા બાદ 10 ગ્રામ વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીના પાણીમાં પોષકતત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેના સેવનથી કબજિયાત, એસીડીટી, ગેસની સમસ્યા, ગભરામણ થવી, ઉલટી જેવી સમસ્યામાં દૂર કરી શકાય છે.

8) વરીયાળીને આંખ માટે ખુબ જ લાભદાયક માનવામાં આવી છે અને તેને રોજ ખાવાથી આંખની રોશની સારી રહે છે. આયુર્વેદ મુજબ રોજ પાંચ ગ્રામ વરીયાળી ખાવાથી આંખ સારી રહે છે.આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.

9) વરીયાળીનું સેવન કરવાથી લીવર સુચારુ રૂપે કાર્ય કરે છે અને લીવર ની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે માત્ર થોડી વરીયાળીનું સેવન થોડા ગરમ પાણી સાથે કરી લો. વરીયાળી પેટના સોજાને મટાડવા માટે ઉપયોગી છે. વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. વરિયાળી ગૈસ્ટ્રીક એસીડ ના સ્ત્રાવને સારો કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment