આ છે વગર ઓપરેશને પથરીને ભુક્કો કરીને બહાર કાઢવાનો દેશી ઈલાજ… મફતમાં જ પથરીની સમસ્યા જડમૂળથી કરશે ગાયબ….

આજનુ ખાન-પાન અને રહેણીકરણી ના કારણે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ થઈ રહી છે. આવી સમસ્યાઓમાં એક પથરી છે. જેનાથી મોટાભાગના લોકો પીડાય છે. પથરી એટલે કે પથ્થર હોવું સામાન્ય સમસ્યા છે. લોહીમાં ખરાબ તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સનું નિર્માણ કરે છે, જે કિડનીની અંદર ભેગા થાય છે. ધીમે-ધીમે આ ક્રિસ્ટલ્સ કઠણ પથ્થર જેવી ગાંઠ બની જાય છે જેને પથરી કહેવાય છે. લગભગ 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ ખાણી-પીણીને કારણે થાય છે.

લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, માછલી, કાજૂ અને સોયાનું સેવન ઓછું કરવુ જોઈએ, કારણકે તેમા ઓકસાલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે કિડનીની પથરીનું કારણ બને છે.જો પાણી ઓછું પીવામાં આવે તો અને વારસાગત આ સમસ્યા હોય તો પથરી થવાની સંભાવનાઓ વધી જાય છે.માંસાહારી કે વધુ પ્રોટીન યુક્ત ખોરાક, ખોરાકમાં મીઠુ અને ઓક્ષલેટનું વધુ પ્રમાણ અને ખોરાકમાં ફળો અને પોટેશિયમનું ઓછુ પ્રમાણ હોવાથી પણ પથરી થવાની શક્યતાઓ વધી જાય છે. પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા વધારે પુરૂષોમાં જોવા મળે છે. કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના 75 ટકા અને મૂત્રાશયની પથરી હોય તેવા દર્દીઓમાંના 95 ટકા પુરૂષો છે.

જે વ્યક્તિ લાંબા સમય સુધી પથારી વશ રહે છે, જે ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય છે, વારંવાર મુત્રમાર્ગનો ચેપ, મૂત્રમાર્ગમાં અવરોધ, ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમનુ અત્યંત વધારે પ્રમાણ વગેરે પથરી થવાના કારણો છે. જો પથરીનો દુખાવો ન થતો હોય તો તેના કારણે કિડની બગડવાનું જોખમ વધી જાય છે.પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે અને તે પથરીની સંખ્યા એક કે એક થી વધુ હોઈ શકે છે.  પિત્તાશયમાં થતી પથરી જયારે તેના મોઢા આગળ ફસાય કે પિત્તની નળીમાં સરકી જાય કે પિત્તની નળીમાં અટકાવ ઉત્પન કરે ત્યારે પિત્તાશયમાં સોજો આવે છે.

ઘણી વખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહ્નો હોતાં નથી તેને સાઇલન્ટ સ્ટોન કહે છે. પીઠમાં અને પેટમાં સતત દુખાવો રહેવો, ઊલટી-ઊબકા થવા, પેશાબમાં લોહી આવવું, પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થવી આ પથરી ના લક્ષણો છે. જો પથરી મૂત્રનલિકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.આ બધા કારણે પથરી થઈ શકે છે.

યુરિનમાં કેટલાક તત્વો હોય છે જે શરીરમાં સ્ટોન બનતા અટકાવે છે. તેમાં સાઈટ્રેટ, વિટામિન બી 6, મેગ્નેશિયમ, કેટલાક ખાસ પ્રોટિનનો સમાવેશ થાય છે. જે વ્યક્તિઓ માં આ તત્વો નથી હોતા તેમને પથરી થવાની શક્યતાઓ વધી જાય છે. તમારા પરિવારમાં કોઈને પથરી હોય તો પણ તમને થવાની સંભાવના વધી જાય છે.

ટામેટા અને રીંગણનું વધુ પડતું સેવન તેમજ ઓછું પાણી પીવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. જાણકારના મત પ્રમાણે, ટામેટા અને રિંગણના બીજથી પણ પથરીની સમસ્યા થઈ શકે છે. સતત કબજિયાત ની સમસ્યા રહેતી હોય, કિડનીમાં ઈન્ફેક્શન હોય તો પણ પથરી થઈ શકે છે.હાઇપર પેરાથાઇરોડિઝમ નામની તકલીફ ધરાવતી વ્યક્તિઓના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી શરીરમાં પથરીનું નિર્માણ થઈ શકે છે. રોજિંદા જીવનમાં ઓછું પાણી પીવાવાળી વ્યક્તિઓને પણ પથરી વધુ થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. ક્ષાર ઓગાળવાની ક્ષમતા ઓછી હોવાથી પણ પથરી થઈ શકે છે.

પથરી મટાડવાના ઉપચાર:- વધારે પ્રોટીમ યુક્ત અને ઓછા ફાઇબર વાળા આહારનું સેવન કરવું જોઈએ. જો તમને પથરી કેલ્શ્યિમના વધુ પડતા સેવનથી થઇ હોય તો તમારે તમારા આહાર માં મીઠું કે ઓક્સાલિક એસિડ ઓછું કરવાની જરૂરિયાત છે. તે કેલ્શ્યિમને શરીરમાં શોષિત થવાથી રોકે છે.ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ને ઉકાળી ને તે પાણી પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પણ પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરી તૂટીને ચૂરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

નાની પથરી તો પેશાબ વાટે બહાર નીકળી જાય છે. પરંતુ મોટી પથરીઓને તોડવાની જરૂરીયાત હોય છે. જેના માટે ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે લેજરનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક પથરી કાઢવા માટે ઓપરેશનની જરૂરત પડતી નથી.પ્રવાહીમાં નાળિયેર પાણી, જવનું પાણી, પાતળી છાશ, સાદા ઠંડા પીણા જેમ કે, મીઠા વગર ની સોડા, લેમન ટી, પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણમાં લેવાથી પથરી થવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ આ બધી વસ્તુઓ સાથે 50% જેટલું તો સાદું પાણી જ લેવું જોઈએ.

પથરી ની તકલીફ હોય તેવી વ્યક્તિ એ આ પ્રકાર ના પ્રવાહી લેતા બચવું જોઈએ, જેવા કે દ્રાક્ષ નો રસ, એપલ જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડ વાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે લેવાથી બચવું જોઈએ.

પથરીનું કદ કેટલું છે, આકાર કેવો છે અને તે નિશ્ચિત કયા સ્થાને છે તેની સચોટ માહિતી પેટના એક્સ-રે દ્વારા મળી શકે છે. પેટનો એક્સરે એ પથરીની સારવાર પહેલાં અને સારવાર બાદના ફેરફારો અંગે જાણકારી માટેની સૌથી ઉપયોગી પદ્ધતિ છે. સીટી સ્કેન પથરીના નિદાન, તેનું કદ અને મૂત્રમાર્ગમાં અવરોધની અત્યંત સચોટ માહિતી માટેની સૌથી વધુ ઉપયોગી તપાસ પુરવાર થઈ છે.

ટામેટા અને રિંગણાના બીજથી પથરીની સમસ્યામાં વધારો થાય છે. જેનાથી બચવા માટે આ બંને શાકને તેના બીજ કાઢીને જ ખાવા જોઈએ. પાણી વધારે પીવું જોઈએ. ભોજનમાં કેલ્શિયમનું પર્યાપ્ત સેવન કરવું, સોડિયમનાં સેવનને ઘટાડવું, પ્રાણીઓનાં માંસ માંથી મળતા પ્રોટિનનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું બીટ, ચોકલેટ, ભાજી, ચા જેવા પદાર્થ થી પથરી થઈ શકે છે તેથી આવા આહારનું સેવન કરવાથી દૂર રહેવું.

દરરોજ સવારમાં ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને રાહત મળે છે. દરરોજ સવારમાં નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી અને પીવાથી પથરી મટાડી શકાય છે. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી મટી જાય છે.કાળી દ્રાક્ષનો ઉકાળો બનાવીને પીવાથી પથરી ઓગળી જાય છે. પચાસ ગ્રામ કળથી રાત્રે પલાળી રાખી, સવારે મસળીને, ગાળી લેવી અને આ પાણી રોજ સવારે પીવાથી પથરી મટાડી શકાય છે. કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી ને પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતો ભયંકર દુખાવો મટી શકે છે.

મૂળાના પાનના રસમાં સુરોખાર નાખીને આ મિશ્રણ રોજ પીવાથી પથરી ઓગળી જાય છે. પાલકની ભાજીનો રસ પણ પથરી ઓગાળવામાં મદદરૂપ થાય છે. વીસ ગ્રામ ડુંગળીના રસમાં પચાસ ગ્રામ વાટેલી ખાંડ મેળવીને ખાવાથી પથરી તૂટી જઈને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment