સાદા પાણી કરતા 100 ગણું શક્તિશાળી છે આ પાણી… આજથી જ પીવા લાગો, શરીરના કચરા સાથે 10 બીમારીઓ પણ થઇ જશે સાફ… જીવો ત્યાં સુધી રહેશો તંદુરસ્ત

મિત્રો તમે કદાચ જાણતા હશો કે સવારે ખાલી પેટે નવશેકું ગરમ પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. પણ હાલ શિયાળો શરુ છે એટલે કદાચ તમે નવશેકું ગરમ પાણી પીવાનું વધુ પસંદ કરતા હશો. જો કે ગરમ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. તેનાથી તમારું શરીર નીરોગી બને છે. તેમજ અનેક રોગો સામે તમને રક્ષણ મળી રહે છે. આથી જ ગરમ પાણી એ શ્રેષ્ઠ દવા તરીકે કામ કરે છે. જે તમને લાભકારી છે. 

આપણે બધા જ્યારે સવારે સૂઈને ઊઠીએ છીએ તો સૌથી પહેલા પાણી પીએ છીએ. સવારે ખાલી પેટ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે, કારણ કે તેમાં આપણા મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને લાળ પાણી સાથે મળીને આપણા પેટમાં જાય છે. તેનાથી શરીરને ડિટોક્સિફાઈડ કરવામાં મદદ મળે છે. સાથે જ પાણીમાં રહેલ લાળ આપણી પાચનક્રિયાને સારી બનાવવામાં મદદ કરે છે.

આપણામાંથી ઘણા લોકો સવારે સાદા પાણીનું સેવન કરે છે, તો ઘણા લોકો ફ્રિજના ઠંડા પાણીનું સેવન કરે છે. સાદું પાણી પીવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી, પરંતુ ઠંડુ પાણી પીવું તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે અને તમારા પાચનમાં ગડબડીનું કારણ પણ બની શકે છે. પરંતુ તમે સામાન્ય રીતે હેલ્થ એક્સપર્ટ પાસે સાંભળ્યુ હશે કે, તમારે દિવસની શરૂઆત હંમેશા નવશેકું કે ગરમ પાણી પીને કરવી જોઈએ. આમ કરવાથી શરીરને ઘણા લાભ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર સવારે જ નહીં પરંતુ આખો દિવસ નવશેકું પાણી પીવાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદાઓ મળી શકે છે? 

નવશેકું પાણી પીવાના 10 ફાયદાઓ:- 

1) વેઇટ લોસમાં મદદ મળે છે:- નિયમિત જો નવશેકું પાણી પીવામાં આવે તો, તેનાથી મેટાબોલીજ્મ ઝડપી બને છે, જેનાથી તે ફૈટને તોડીને કેલોરી બર્ન કરવામાં મદદ કરે છે. 

2) કિડની ફંક્શન સારું બને છે:- કિડની શરીરમાંથી ટોક્સીંસને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિયમિત નવશેકું પાણી પીવાથી કિડની ફિલ્ટ્રેશનમાં સુધારો થાય છે, સાથે જ કિડની સ્વસ્થ રહે છે.

 3) પાચન તંદુરસ્ત રહે છે:- નિયમિત નવશેકા પાણીનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે, તે પેટમાં એસિડના ઉત્પાદનને કંટ્રોલમાં રાખે છે અને પાચનતંત્રને ઉત્તેજિત કરે છે.4) બંધ નાકથી રાહત મળે છે:- નવશેકું પાણી તમારી શ્વાસનળી, શ્વાસ લેવાના માર્ગ, નસકોરા વગેરેમાં સોજાને મટાડે છે, તે બંધ નાક ખોલવામાં પણ લાભદાયી છે. 

5) કબજિયાતને દૂર રાખે છે:- નવશેકું પાણી પીવાથી સવારે મળત્યાગની પ્રક્રિયા સારી બનાવવામાં પણ મદદ મળે છે. તે બાઉલ મુવમેંટમાં સુધારો કરે છે સાથે જ, આંતરડાની ગતિશીલતાને પણ સુધારે છે.

6) બીપી કંટ્રોલમાં રહે છે:- તે હાઇ બ્લડ પ્રેશરના રોગીઓમાં બ્લડ પ્રેશરને સામાન્ય જાળવી રાખવામા મદદ કરે છે. તે શરીરને ગરમ કરવામાં મદદ કરે છે, હાઇ બીપી ને ઘટાડીને બ્લડ ફ્લોમાં સુધારો કરવામાં મદદ કરે છે. 

7) સ્કીન હેલ્થી રહે છે:- નવશેકું પાણી પીવાથી શરીર ડિટોક્સિફાઈડ થાય છે, સાથે જ કોશિકાઓની સારવારમાં પણ મદદ મળે છે. તેનાથી સ્કીન હેલ્થી રહે છે. 8) વાળ સ્વસ્થ રહે છે:- તે વાળના મૂળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સ્કેલ્પમાં બ્લડ ફ્લો વધારવામાં અને પોષકતત્વોના સર્ક્યુલેશનમાં પણ સુધારો કરે છે. 

9) એસિડિટી દૂર કરે છે:- નવશેકું પાણી એસિડને પેટમાં પાતળું કરવામાં મદદ કરે છે. જેનાથી એસિડિટીમાં રાહત મળે છે. 

10) ગળાની ખરાશ દૂર થાય છે:- ગળામાં સોજો, ખરાશ, ઉધરસ વગરે જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. સાથે જ ગળાની બળતરાને શાંત કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment