ફક્ત 15 દિવસમાં હૃદયરોગ, હાઈ બિપિ, વજન, ચરબીથી મળશે આજીવન છુટકારો… જિંદગીભર દવાઓ ખાવાની નોબત નહિ આવે…

આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી હોય છે અને ઘણી ખરી વનસ્પતિઓના આપણે ફાયદા પણ જાણતા નથી હોતા. આવી જ એક વનસ્પતિ થોર છે, જે જોતા જ આપણને તેના કાંટા નજરે ચડી જાય છે. થોર એ રણ પ્રદેશની વનસ્પતિ છે. આ વનસ્પતિ વાડી કે સીમના વિસ્તારમાં પણ જોવા મળે છે. થોર ખુબ જ ઓછા પાણીમાં પણ સરળતાથી અને ઝડપથી ઉગી જાય છે. કુદરતની આ અમૂલ્ય ભેટ હાથલા થોર ના ફળ ને ફિંડલા તરીકે  ઓળખાય છે. ફીંડલાને કેટલીક જગ્યા પર ડીંડલા તરીકે પણ ઓળખાય છે. પાક્યા પછી આ ફળ જાંબલી રંગનું થઈ જાય છે અને તે થોર પર ઉગે છે.

આ ફળ ગુજરાત અને દક્ષિણ ભારત માં જોવા મળે છે તેના સિવાય વિદેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવા હોય ત્યાં જોવા મળતું હોય છે. આ ફળ શરીર માટે અત્યંત લાભદાયક છે. ફિંડલા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તો આજે આપણે આ લેખ ના માધ્યમથી તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ જાણીશું.1) આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે. આજની લાઈફ સ્ટાઈલને જોતા સ્થિતિ એવી થઈ ગઈ છે કે અનેક પ્રયત્નો કરવા છતાં વજન ઘટતું નથી . જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્નો કરી રહ્યા હોવ તો આ સ્વાસ્થ્યવર્ધક ફળ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ભૂખ ન લાગી હોય તે છતાં વારંવાર કેટલાક લોકોને કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય છે. આવી સ્થિતિમાં જો ફિંડલા ખાવામાં આવે તો તે સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે તેમાં રહેલુ ભરપૂર પ્રમાણમાં ફાઈબર તમારી ભૂખને ઘટાડે છે.

2) ફિંડલામાં રહેલું મેંગેનીઝ ખોરાકમાં લેવામાં આવતા લોહતત્વને હિમોગ્લોબિનમાં રૂપાંતર કરે છે. થેલેસેમિયાના દર્દીઓ માટે આ ફળનું જયુસ ચમત્કારથી સહેજ પણ ઓછું નથી. કોલસ્ટ્રોલના લેવલને જાળવવા માં તેમાં રહેલું પેક્ટિન નામનું તત્વ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ ની માત્રા પણ વધારે છે જેને કારણે ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.3) થોરના ફિંડલા માં રહેલા પોષક તત્વો માનસિક તણાવને ઘટાડવામાં અસરકારક હોય છે. તેની સાથે જ તે પેટના રોગોને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમને પેટમાં ચાંદા પડી ગયા હોય અને લાંબા સમય સુધી દવા કર્યા છતાં કોઈ ફેર ન પડતો હોય અને ફરી ઉથલો મારતો હોય તો થોરના ફિંડલા ને જરૂરથી ઉપયોગમાં લેવું જોઈએ. જેને વારંવાર પેટમાં ચાંદા પડતા હોય તેઓએ થોરના ડીટાના રસનું સેવન કરવું લાભદાયક ગણાય છે.

4) આ ફળ લોહીમાં શુગરના પ્રમાણ ને વધતું અટકાવમાં ફાયદાકારક છે અને શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન પણ વધારે છે, જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફીંડલાના જ્યુસ ને ગરમ પાણી સાથે લેવાથી હિમોગ્લોબીન લેવલમાં તરત જ સુધારો જોવા મળે છે.5) લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાના કારણે શરીરને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.આ ડાયાબિટીસને નિ્યંત્રિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ થોરના ડિંડાનો રસ અત્યંત ફાયદાકારક છે. લીવર એ શરીરનું મહત્વપૂર્ણ ઓર્ગન છે.

6) ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુરેટીન, ગેલિક એસિડ, ફિનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડન્ટ્સના  કારણે લીવર એટલે કે પિત્તાશયમાં રાહત થાય છે. આ બધાની સાથે પાચનશક્તિમાં પણ સુધારો થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.7) જો પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડા અને પેશાબ જેવી બીમારીઓ થતી હોય છે. પિત્તાશય લોહીને ગંઠિત કરવા માટેનું પ્રોટીન પણ તૈયાર કરે છે. આવી સ્થિતિમાં થોરના ડિટાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાશયની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.

8) આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરૂરી અને પૂરતું કેલ્શિયમ નથી મળી શકતું જેથી દાંત અને હાડકાની તકલીફ ઉદભવે છે.તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં સહાયક છે.9) ફિંડલામાં રહેલ ફાઈટોકેમિકલ્સ કેન્સરને વધતું અટકાવે છે. આ ફળના રસના ડાઈયુરેટીક ગુણધર્મને કારણે તે સુગર, ફેટ અને સ્ટાર્ચને લોહીમાં ભળતું અટકાવી, ધમનીની દીવાલોમાં જામતું અટકાવે છે. આ સિવાય શરીરમાં રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.

10) ફિંડલા લોહીની ઉણપ દૂર કરવામાં અત્યંત અસરકારક છે. અને તે લોહીનું શુદ્ધિકરણ કરે છે. લીવરની તકલીફ માટે પણ તે ખૂબ ઉપયોગી છે. ફિંડલા દમ, અસ્થમા જેવી તકલીફ દૂર કરે છે. ફિંડલા શારીરિક નબળાઈ દૂર કરે છે, મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ફીંડલાથી પાચનતંત્ર સુદ્રઢ બને છે. ફિંડલા ચામડીના રોગ માટે પણ ઉત્તમ દવા છે અને સાંધાનો ઘસારો દૂર કરે છે. ફિંડલામાં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

11) ઉધરસની તકલીફ ધરાવતા લોકો એ થોરના ફુલને વાટીને ખાવુ જેથી ઉધરસ માં ફાયદો થાય છે. આ ઉપરાંત તેના ફળનું શરબત પીવા થી પિત, વિકાર જેવા રોગો માં ઘણો ફાયદો થાય છે. કાનના દુખાવાથી છુટકારો મેળવવા પણ આ ફળનો રસ પીવાથી ફાયદો થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment